Dipak Chitnis

Abstract

3  

Dipak Chitnis

Abstract

અણમોલ પ્રેમ - ૫

અણમોલ પ્રેમ - ૫

3 mins
214


કહેવામાં આવે તો મિત્રતા અંતે તો શું છે ? ઠંડીભરી ઠૂંઠવાતી રાતની એકલતામાંનું તાપણું છે. મિત્રતાનું કદી મૃત્યુ ન હોઈ શકે. ભાવની વાત છે, આપણી મરજી નહીં પણ હિતને ચાહે, સુખ અને દુઃખના કિનારા વચ્ચે અથડાતી રહેતી જિંદગીમાં ‘હાલ’ પામવાનો મુકામ એટલે ‘મિત્રતા’.

જ્યાં અનાવૃત થઈ શકાય, મન મૂકી રડી શકાય, સ્મિત જ નહીં ખુલ્લું હાસ્ય વહેતું કરી શકાય, કૃત્રિમતાની સરહદથી પરની આ દુનિયા છે. વૈભવ નિર્ધનતાને ભેટવા ઉન્માદી બની, કૃષ્ણ બની – સુદામાને મળવા, ભેટવા વ્યાકુળ બની ઊઠે, આ છે – ‘મિત્રતા’.પરમાત્માએ સંદીપ-સ્નેહાની જોડી પણ નક્કી કરીને મોકલી હતી.

સ્નેહાના માતા-પિતાની મનાઈ પછી બંને જણાએ એકબીજાને મળવાનું કે સોશ્યલ મીડિયામાં ચેટીંગ કરવાનું પણ બંધ કરેલ હતું. અને બંને જણા પોતપોતાની જીંદગીમાં જીવવાનું શરુ કરેલ હતું. વિધીની વિચિત્રતા ક્યારે શું કરે તે કોઈ કહી શકતું નથી. સ્નેહા-સંદીપની જીવનમાં કંઈક નવું બનવાનું લખેલ હશે.

‘સંબંધ’ પછી તે લોહીનો હોય કે લાગણી હોય કે લાગણીનો તે કંઈક પામવું અને મેળવી લેવું ની પરિભાષાથી ભિન્ન છે, પર છે સંબંધનો મતલબ જ કંઈક આપવું, કંઈક કરી છુટવું અને નિભાવવાનું નામ છે. પછી તે લોહીનો કોઈપણ સંબંધ હોય કે, લાગણીનો કે પછી મિત્રતાનો અને આના માટેનું મોટું અને ઉત્કૃષ્ટ ઉદાહરણ છે કૃષ્ણ-સુદામાનો સંબંધ, રાધા-કૃષ્ણનો, રાધા અને મીરાનો કૃષ્ણ અને દ્રોપદીનો તથા રામ-સુગ્રીવ અને રામ-હનુમાનનો આ દરેક સંબંધમાં મિત્રતાની સાથે ભકિતની પણ ઝાંખી થાય છે. એટલે કે ‘સંબંધ’ મટીને તે ‘ભકિત’નું સવરુપ બની ગયા હતા. પણ આ સંબંધોમાંથી આપણે માત્ર અમુક ગુણોને લઈને પણ જો આપણા સંબંધોને નિભાવીએ તો અણ બનાવ, વિભકત કુટુંબ, સંબંધોમાં તણાવ વગેરે નકારાત્મક ભાવનાઓ ઉ૫સ્થિત થવાનો પ્રશ્ન જ ન આવે. સંદીપ-સ્નેહાના સંબંધો પણ એટલા પવિત્ર જ હતા તેઓએ તેમની મિત્રતાના સમય દરમિયાન ક્યારેય મિત્રતાથી આગળ વધેલ ન હતાં. તેમના માતા-પિતાના સંસ્કારોનું સિંચન અને ચિંતન બંને તેઓના જીવનમાં ઉત્કૃષ્ટ રીતે વણાયેલા હતાં.

સ્નેહાના પિતાને તેમની પાસે જે ધનદોલત હતી જે સંદીપ પાસે ન હતી તેનું તેમને અભિમાન ગરુર હતું જેને પરિણામે જ તેઓએ સંદીપ સાથે સ્નેહાના લગ્નનો ઈન્કાર કરેલ હતો. “ન બનવાનું જાનકી નાથે કાલે શું બનવાનું છે” જેવી સ્થિતિએ સંદીપ-સ્નેહાના જીવનમાં કંઈ નવો વળાંક લાવવાની હતી તેની ન તો સ્નેહાને કે ન તો સંદીપને હતી. સ્નેહાના પિતા લાલચંદ નાણાવટી મોટા ઔધોગિકગૃહના મેનેજીંગ ડિરેક્ટર હતા અને તેઓ તેમના બીજા કેટલાંક ભાગીદારોની સાથે એમ્બીક પ્રોટીન નામની સંસ્થાનો કારોબાર ચલાવતાં હતાં. કોવાડ-૧૯ની મહામારી જેને પુરા વિશ્વને ભરડામાં લીધેલ જેમાં સ્નેહાના પિતાની એમ્બીક પ્રોટીનનો પણ સમાવેશ થયેલ ગયો. બે વર્ષના કપરા કાળમાં ધંધો રોજગાર સંપૂર્ણ પણે બે વર્ષના લાંબા સમયગાળા માટે બંધ થયેલ ગયા અને સંસ્થાના ૨૦૦-૨૫૦ કારીગરો સ્ટાફને પગારભથ્થાતો આપવાં જ પડે તેમ હતું. ધંધાનું ટર્નઓવર બીલકુલ શૂન્ય થઈ ગયેલ બીજા ખર્ચા તો તેમ ને તેમ હતા. આવી અનેક વિટંબણાઓનો તે સામનો કરી રહેલ હતાં. કોવીડની મહામારી પુરી થવામાં આવી પરંતું સંસ્થામાં જે આંતરરાજ્ય શ્રમીકો કામ કરતાં હતા તેઓ જેમને કોવીડ દરમિયાન પડેલ મુશ્કેલીઓને પરિણામે ફરીથી કામ પર ન આવ્યા અને ધીમે ધીમે તેની અસર ધંધા પર વધુ પડી, આ સમય દરમિયાન ભાગીદારો વચ્ચે થોડાઘણા પ્રમાણમાં મનદુ:ખ પણ થયા જેને કારણે હારીથાકીને તેઓને ૧૫-૨૦ વર્ષના જુના ધંધાને સમેટવાનો વારો આવ્યો. જેની વધતી ઓછી અસર તેમના શરીર પર પણ પડી. તેમનું અને ઘરની આ પ્રકારની પરિસ્થિતિને સ્નેહાની માતાની તબિયતને પણ અસર થયેલ હતી. સ્નેહાના પિતાને કે થોડો સમય હોસ્પીટલમાં પણ દાખલ કરવા પડેલ હતાં. આ બધા વચ્ચે માતા-પિતાની નજર સ્નેહા પર પડેલ હતી. સ્નેહાને સંદીપ સાથે લગ્ન ન કરવાનું જણાવ્યા પછી તેને અનેક છોકરાઓ જોવા આવતાં પણ જેણે ક્યારેય કોઈ છોકરા માટે હા પાડેલ ન હતી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract