આ બંને ઉદાશ કેમ ?
આ બંને ઉદાશ કેમ ?
એક દીવસ શાહે બીરબલને પૂછ્યું કે,N'બ્રાહ્મણ તરસ્યો કેમ રહ્યો ? અને ગધેડો ઉદાસ કેમ થયો ?' શાહનું આવું ચમત્કારીક વાક્ય સાંભળી બાહોશ બીરબલે એકજ શબ્દમાં બંનેનો ઉત્તર આપતાં કહ્યું કે 'સરકાર ! બ્રાહ્મણ પાસે લોટો ન હોવાથી તે પાણી પીધા વગર રહ્યો. અને ગધેડાને લોટવાનું ન મળવાથી તે ઉદાસ થયો.' બીરબલનો આ તાત્કાલીક જવાબ સાંભળી શાહ ઘણો ખુશી થઈ, ખુશાલીના બદલામાં બીરબલને ઈનામ આપી રીઝવ્યો.
