વાતો - 72
વાતો - 72
વિશ્વાસે વહાણ ચાલે,
લોકો સુખ ચેનથી મ્હાલે,
વિશ્વાસ જો ઊઠી જાય,
ત્યારે દરવાજા દેવાય,
એથી પણ જો કામ ન થાય,
દરવાજે તાળા લટકાવાય,
પણ તે પણ જો તૂટવા લાગે,
વિશ્વાસ સાવ ઊઠવા લાગે,
માણસ ને માણસ તણો,
ઓછો થાય જે હતો ઘણો,
વિશ્વાસ એ બને ઈતિહાસ,
આ છે નવા જમાનાનો રકાસ,
છેલ્લે સિસિટીવી લગાવાય
અવિશ્વાસને લીધે બધું થાય,
જો ચાલે તો ભેદ પકડાય,
પણ નિશ્ચિત તો ન રહેવાય.
