સ્થિર કે અસ્થિર
સ્થિર કે અસ્થિર
અસ્થિર છે જગત
મન પણ અસ્થિર છે,
પ્રશ્નો તો ઘણા છે
એથી મન વિચલિત છે,
સંસારરૂપી સાગર
સાગર પણ ઊંડો છે,
જે જીવી જાય છે
એનું મન કદાચ સ્થિર છે !
તકલીફો વેઠવી
મન કદાચ સ્થિર કરે,
પણ દુનિયા કેવી છે ?
મન કદાચ અસ્થિર કરે,
શ્રી કૃષ્ણ શરણં
હનુમાન ભક્તિ સ્થિર છે,
મનને વશ કરવા
ધ્યાન જ અંતિમ છે !
હળીમળીને રહો
કુટુંબ ભાવના સ્થિર છે,
અસ્થિર જગતમાં
ઈશ્વર જ સ્થિર છે.