STORYMIRROR

Jagruti Kaila

Inspirational

4  

Jagruti Kaila

Inspirational

નકામુ

નકામુ

1 min
334

ગગને હોય અંભોદ પણ વરસે નહીં તો નકામુ,

મન જો લાગણી માટે તરસે નહીં તો નકામુ.


અમુક ઘાવ દિવસો જતાં ભરાઈ જાય, પણ,

નિશાન ઘાવના જો ભરાશે નહીં તો નકામુ.


પાનખર અને વસંતતો કાળક્રમ છે જીવનનો

પણ સમયે સમયે પાન ખરશે નહીં તો નકામુ.


પૂજા, અર્ચના, જપ તપ ચાહે ખૂબ કરો,

પણ કામ અને ક્રોધ ત્યજાશે નહીં તો નકામુ


કર્મકાંડ જરુરી છે કે નહી જાગુ' શું જાણે ?

અંત સમયે મોક્ષ પમાશે નહીં તો નકામુ.


ಈ ವಿಷಯವನ್ನು ರೇಟ್ ಮಾಡಿ
ಲಾಗ್ ಇನ್ ಮಾಡಿ

Similar gujarati poem from Inspirational