ના હોત
ના હોત
આપણે ખરેખર જો માણસ હોત,
તો ભગવાન આવો નિર્દય ના હોત,
ચારેકોર ઉજાશ, આનંદ, ઉલ્લાસ,
આવા અંધારાનો ઉદય ના હોત,
પુણ્ય કરતા પાપ વધ્યા હશે નક્કી,
બાકી આ પારાવાર પ્રલય ના હોત,
શાંત ચાલતી નાવડી મધદરિયે,
વાવાઝોડા અને વલય ના હોત,
ખાતરી છે,ઈશ્વર હજુય હાજર છે,
બાકી એકપણ ધબકતું હદય ના હોત.