મહાવીર
મહાવીર


ત્યાગ અને તપસ્વી જેવું જીવન જેમનું;
પ્રેમ અને કરુણા જેવાં વિચાર તેમનાંં.
શીલ અને સદાચાર ઓળખ છે જેમની;
શ્રીમદ્ અને ગાંધીજી વિચારક છે તેમનાં.
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર;
આધ્યાત્મિક જીવનશૈલીનાં વિચારો છે તેમનાં.
સત્ય, અહિંસા, અસ્તેય અને બ્રહ્મચર્ય;
અપરિગ્રહ એવા રુડાં છે મહાવ્રતો પાંચ તેમનાં.
પ્રાણી અને સૂક્ષ્મ જીવો પ્રત્યે અનુકંપા છે જેમની;
વિરલ વિભૂતિ જેવું જીવન છે તેમનું.
મહાનાયક એવા પ્રભુ મહાવીર નામ છે જેમનું;
જૈન ધર્મનાં ચોવીસમાં તીર્થંકર ભગવાન છે સૃષ્ટિનાં.