ધર્મની જ્યોત
ધર્મની જ્યોત
ધર્મના ભેદભાવ દૂર કરીને મારે,
પ્રભુના સ્મરણમાં મગ્ન બનવું છે.
ગુરૂ શરણમાં આશ્રય લઈને મારે,
સનાતનના મર્મને સમજવો છે.
મોહ માયાનો ત્યાગ કરીને મારે
તન અને મન પવિત્ર બનાવવું છે,
ઈર્ષા-અહંકારને દૂર કરીને મારે,
સનાતન મહિમાનું ગાન કરવું છે.
સત્સંગ દેશમાં વાસ કરીને મારે,
ભક્તિ રસના ઘુંટડાં પીવા છે,
પ્રભુ નામનું સ્મરણ કરીને મારે,
સનાતનનો ઘંટારવ કરવો છે.
સકલ જગતના પાલનહારને મારે,
ગુણ ગાન કરીને હવે રીઝવવા છે,
ધર્મની જ્યોત પ્રગટાવીને "મુરલી",
સનાતનનો જય જયકાર કરવો છે.