હાસ્ય જીવનનું આભૂષણ
હાસ્ય જીવનનું આભૂષણ
હસતાં માનવ સૌને ગમતાં, એ સદિયો જુની કહેવત છે,
નકલી હાસ્યમાં માનવ ફસાય તો, જીવન બરબાદ થાય છે.
જીવનની વિકટ સ્થિતિનો સામનો, જે હસતાં હસતાં કરે છે,
પાછુ વળીને જોયા વિના, એ સફળતાની સીડી ચડી જાય છે.
હાસ્યથી વર્ષો જુની શત્રુતા પણ, પળમાં દૂર થઈ જાય છે,
નિર્મળતાથી હસનાર માનવ, સૌના હ્રદયમાં વસી જાય છે.
ભલેને આલમ શોકનો હોય તો પણ, સૌને હસાવી જાય છે,
ગમગીનીમાં પણ હસનારો માનવ આનંદ પૂર્વક લહેરાય છે.
હાસ્ય છે જીવનનું કિંમતી આભૂષણ, એ તો ઈશ્વરની દેન છે,
"મુરલી" હાસ્યથી આયુષ્ય વધે તેવું, વેદ પૂરાણમાં કહેવાય છે.