આપણું કર્મ
આપણું કર્મ
અંધારામાં જ્યોતિ મળે; એ ખરું! પરંતુ,
જ્યોતને અગ્નિ પેટે ઝળહળ કરાવવાનું કામ તો આપણું ને?
હજાર રસ્તા બંધ થાય ત્યારે એક બારી તો ખુલ્લી જ મળે; એ ખરું! પરંતુ,
બારીમાંથી બારણાં સુધીની સફર તો ખેડવાની જવાબદારી તો આપણી જ ને?
શબ્દો અને લાગણીઓથી અનહદ સંવાદ સર્જાય એ ખરું; પરંતુ,
એ સંવાદના સમીકરણો ઉકેલીને એનું પુનઃસર્જનની જવાબદારી તો આપણી જ ને?
કુદરતી શક્તિનો પ્રતાપ તો સદંતર સાથ આપે એ ખરું; પરંતુ,
સત્યની રાહને પકડી સુનામીના મોજાંનો સામનો તો આપણે જ કરવાનો ને?
