STORYMIRROR

Akbar Birbal

Classics

0  

Akbar Birbal

Classics

પાણી અને અગ્નિ

પાણી અને અગ્નિ

1 min
672


એક સમે શાહ શહેરના કીલ્લાની ઉપર ચઢી સાંજના વખતે જમુના નદીના જળપ્રવાહની ગમ્મત જોતા હતા તે સમે આસપાસના મંદીરો તથા ઘરોના દીવાઓની રોશનીનો પ્રતીબીંબ જમનાના જળમાં પડતો હતો તે જોઇ શાહે એક કવિતાનું પદ બનાવ્યું કેઃ-

હમને દરીયાકી તરફ શેર ચેરાગાન દેખા.

આવું એક પદ રચી પછી શાહ દરબારમાં દાખલ થઇને બીરબલને કહ્યું કે, 'હું જે કવીતાનું પદ કહું તેનાજ ભાવને મળતુ બીજું પદ બનાવી આપ.'

દરબારમાં બેસનારા તમામ લોકો જાણતા હતા કે બીરબલને સરસ્વતી દેવી પ્રસન્ન છે, તેથી તે ગમે તેવી વગર જોએલી કે વગર સાંભળેલી વાર્તા પણ કહી શકે છે અને શાહને પણ તે વાર્તાની પૂરતી ખાત્રી હોવાથી પાદપુરતી કરવા કહ્યું.

બીરબલે કહ્યું કેઃ-

આબ વ આતસકું હમ દસ્તા વ ગરેબાન દેખા.

જેમ તમે સમુદ્રની તરફ સહેલ કરતાં તેમાં રોશની જોઇ, તેમ મેં પાણી અને આગ એકમેકમાં મળી ગયેલ છે એજ અજાયબી પામવા જેવું છે.

બીરબલનો આ ખુલાસો સાંભળી શાહ ઘણો ખુશી થયો.


Rate this content
Log in

Similar gujarati story from Classics