STORYMIRROR

Manishaben Jadav

Inspirational Children

3  

Manishaben Jadav

Inspirational Children

માતાની વ્યથા

માતાની વ્યથા

1 min
366

અશોકભાઈ અને રંજનબેન બંને પતિ-પત્ની. તેમનું જીવન સુખમય હતું. બંને સરકારી શાળામાં શિક્ષક. તેઓ આખો દિવસ શાળામાં. તેમને ત્યાં એક બાળકીનો જન્મ થયો. બાળકીનું નામ નંદિતા રાખ્યું. રંજનબેન નંદિતાનો ખૂબ ખ્યાલ રાખે. તેને જ મહિના સુધી શાળામાં રજા મળેલ. આખો દિવસ નંદિતા પાછળ જ પસાર કરે. તેને નવડાવે, ખવડાવે ને તૈયાર કરે. હાલરડાં ગાઈને સુવડાવે.

 "દિકરી મારી લાડકવાયી  હેતની એ છે હિરલી

પારણે એને મા ઝુલાવે મારી દિકરી પારણે પોઢી ગી."

પરંતુ જોતજોતામાં છ મહિના પસાર થઈ ગયા. નંદિતાના રજાના દિવસો પૂર્ણ થયા. શાળાએ જવાનો હુકમ થઈ ગયો. રંજનબેનને પોતાની દિકરીને એકલી મુકતા જીવ ન ચાલે. શું કરવું કંઈ સમજાય નહિ ?

ભાઈ, આ તો માતાનો જીવ. કેમ કરી રીઝે. બાળક કાજે તો એ સર્વસ્વ ત્યાગ કરી દે. પણ આ તો ધર્મસંકટ. બાળકનું વર્તમાન અને ભવિષ્ય બંને જોવાનું. નોકરી છોડી દેય તો બાળકના ભવિષ્યનું શું ?


Rate this content
Log in

Similar gujarati story from Inspirational