Dipak Chitnis

Romance

3  

Dipak Chitnis

Romance

અણમોલ પ્રેમ - ૮

અણમોલ પ્રેમ - ૮

3 mins
121


બેટા બીજું તો કાંઈ નહીં પણ અમે જે ભૂલ કરેલ હતી કે ભૂલ સુધારવા અમે બંને આવ્યા છીએ. અમારી વ્હાલી અને કહ્યાગરી દીકરી સ્નેહાનો હાથ અમારી રાજીખુશીથી તને સોંપવા માંગીએ છીએ. પણ હા દીકરા હવે અમારી આર્થિક પરિસ્થિતિ સારી નથી એટલે તમારા બંનેના લગ્ન સાદાઈથી કરવા પડશે. એટલે તારે અમારી એ શરત પણ મંજૂર રાખવી પડશે.

અંકલ, તમે ચિંતા ના કરશો તમારી દીકરી અને મારી સ્નેહાના લગ્ન તમે બે વર્ષ અગાઉ જે રીતે કરવા માંગતા હતા તે રીતે જ થશે. તેમાં તમારે કોઈ બાંધછોડ કરવાની નથી. તમારે પણ મારી આ શરત કબુલ રાખવી પડશે. પણ…બેટા…સમાજ શું કહેશે ? તમે તેની કોઈ ચિંતા ના કરો. અને હા, તમે હવે સ્નેહાના જ નહીં પણ મારા પિતાની પણ ભૂમિકા અદા કરવાની છે. તમારા જણાવ્યા અનુસાર આપની ફેકટરનું કામકાજ બંધ થયેલ છે તેની ચિતા તમારે છોડી દેવાની છે. હું મારુ બહુ મોટુ કામ લઈને બેઠો છું. મારે અવારનવાર ઓફિસના કામે બહાર જવાનું રહેતું હોય છે. એટલે હવે તમારે મારી ઓફિસમાં આવવાનું ચાલુ કરવાનું છે તે પણ મારા પિતા તરીકે તમારે મને સહકાર આપવાનો છે. મારી ગેરહાજરીમાં ઓફિસની જવાબદારી તમારે અને સ્નેહાએ જ સંભાળવાની રહેશે. તમારો સમય પણ જશે અને તમારી તબિયત સ્વસ્થ થવામાં પણ યોગ્ય રહેશે. સ્નેહાના પિયા હા..ના કરતાં હતાં પરંતુ સ્નેહાની માતાએ તેમને સંદીપની શરત કબુલ રાખવા જણાવ્યું. સ્નેહાના માતા-પિતા જે આશા ઉમળકા સાથે આવેલ હતા તે આશાઓ તેમની પરિપૂર્ણ થઈ હતી. સંદીપે સ્નેહા સાથે લગ્ન કરવાની સંમતિ આપતા જેમના હૃદયનો ભાર ઓછો થયો હતો. બંને જણા સંદીપને મળવા માટે તેમના ઘરેથી ઓટોમાં આવ્યાં હતાં પરંતુ જતી વખતે સંદીપે તેમને તેની કારમાં ડ્રાયવરને ઘરે મૂકી આવવા જણાવ્યું હતું. સંદીપ અને સ્નેહાના પરિણયમાં એક ખાસ પ્રકારની સજજનતા હતી. જેને પરિણામે જ સ્નેહાના ઘરે તેના વડીલોની નામંજૂરી ને કારણે તેમણેલગ્ન ન કર્યા પણ બંને જણા એકબીજા માટેતો વફાદાર તો રહ્યા સાથે સાથે તેમના માતા-પિતાના સંસ્કારને પણ ન લજવ્યા તે બહુ મોટી ખાનદાની બંનેની કહી શકાય. સમય પાણીની જેમ વહી રહેલ હતો તેમની જુવાની પણ નદીના પાણીના પ્રવાહની જેમ આગળ ને આગળ ચાલ્યે જતો હતો છતાં બંનેએ કોઈપણપ્રકારનું ગેરવ્યાજબી પગલું નહીં ભરીને એક મોટું ઉમદા કાર્ય કરેલ હતું. 

ઘરે આવી તેમણે સ્નેહાને સંદીપની ઓફિસમાં થયેલ ચર્ચાની વિગતોથી વાકેફ કરેલ હતી. સ્નેહા પણ ખુબ ખુશ થયેલ હતી. જેના અંતરમાં ભરી રાખેલ ઉર્મિઓ પુર્ણ થવાને આરે આવીને ઉભી રહેલ નથી.

સંદીપે તેના પિતાને કે ગુમાવે વર્ષો વિતી ગયા હતા. માતા અને કે જીવન જીવી રહ્યાં હતાં. સંદીપે ઘરે જઈને તેની માતાને ઓફિસમાં સ્નેહા ના માતા-પિતા આવેલ અને તેમની સાથે થયેલ વાત જણાવતાં જેમના દીલને પણ હાશકારો અનુભવ્યો હતો. તેઓ પણ અત્યંત ખુશ હતાં. ટુંક સમયમાં જ બંનેના વડીલોની હાજરીમાં સ્નેહા-સંદીપના ધામધૂમ ઉત્સાહ પૂર્વક લગ્ન લેવામાં આવ્યા અને સ્નેહા-સંદીપના ‘અણમોલ સંબંધો‘ નો એક સાથે પતિ-પત્નિ તરીકે જીવન જીવનના નવા સંબંધો ના ‘જીવન પરિણય‘ ની શરૂઆત થયેલ હતી.

‘પામવુ’ અને ‘મેળવી લેવું’ થી પર સંબંધોની વ્યાખ્યામાં જો જતુ કરવાની ભાવના અને વિશ્ર્વાસ કેળવવામાં આવશે તો પરિવાર અને સમાજ બન્નેની કથળેલી સ્થિતિમાં સુધાર આવશે અને આ સુધારા આપણે જ લાવવાનો છે.સંદીપ-સ્નેહાના સંબંધોમાં પણ કંઈક આમ જ હતું જેને કારણે જ બંનેના ઘરના માતા-પિતા વડીલો પણ તે બંનેના સંબંધો ને ‘અણમોલ સંબંધ‘ તરીકે વણી લીધાં હતાં.

મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી,

પણ જેમની સાથે પણ થાય છે

એ લોકો જ જીવનમાં ખાસ બની જાય છે.


Rate this content
Log in

Similar gujarati story from Romance