Diptesh Mehta

Tragedy Inspirational Others Crime

4.3  

Diptesh Mehta

Tragedy Inspirational Others Crime

આત્મહત્યાનું કારણ શું ?

આત્મહત્યાનું કારણ શું ?

4 mins
98


આજકાલ આત્મહત્યા કર્યાના સમાચારો વારંવાર સાંભળવા મળતાં હોય છે, આનું કારણ શું લોકડાઉન હોઈ શકે..?

મારો જવાબ તો 'હા' છે, લોકો કરે પણ શું..?

જો જાણિતા - ખ્યાતનામ અને પૈસેટકે સંપન્ન વ્યક્તિ આત્મહત્યા કરતો હોય તો વિચારો એક સામાન્ય અને મધ્યમવર્ગની વ્યક્તિઓની મનની હાલત કેવી હશે..? એ કેવી રીતે સહન કરતો હશે..? કેવી રીતે જીવતો હશે..?

મધ્યમવર્ગીય લોકોની લોકડાઉન પછીની પરીસ્થિતિ વધારે ખરાબ થઇ છે, લોકડાઉન હતું એ સમયતો ચાલો કે સંપૂર્ણ ઘરમાં હતાં, થોડું આઘુ પાછું કરીને ચલાવી લેતાં, ક્યાંકથી થોડીઘણી પૈસાની કે રાશન કીટની સહાય મળી હશે ને સમય પસાર થઈ ગયો હશે, પરંતુ લોકડાઉન પછી આવ્યું 'અનલોક-૦૧' પછી ૦૨ અને અત્યારે ૦૩....

નોકરીયાત વર્ગને ક્યાંતો પુરો પગાર ના મળ્યો કે પગાર ના'જ મળ્યો, અનલોક માં કેટલાય નાના નોકરીયાત લોકોની નોકરી ચાલી ગઈ... બેકાર બની ગયાં એ લોકો...

ઘણાં લોકો નાના નાના ઓનલાઈન કે અન્ય વ્યવસાય જેવાકે નાની ખાણીપીણી કે અન્ય દુકાન, રિક્ષા ચલાવવી, ટેક્ષી ચલાવવી કે ઝોમેટો સ્વિગી જેવી કંપનીઓ માં ડિલિવરી બોય તરીકેના કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતાં લોકોની હાલત તો સંપૂર્ણ ખરાબ થઇ ગઈ છે...

દાખલો મારો પોતાનો આપું તો મેં લગભગ ૨૨ વર્ષ સુધી માર્કેટિંગ ફિલ્ડમાં સેલ્સમેન થી શરૂઆત કરી માર્કેટિંગ મેનેજર સુધીનું કામકાજ કર્યું, પરંતુ આ ફિલ્ડમાં અતિશય દોડધામ, ટુરીંગ અને ટાર્ગેટ પ્રેશરના કારણે તબિયત ની પૂંરતી કાળજી ના લઈ શકાયું જેથી ડાયાબિટીસની અતિશય તકલીફ થઈ, વારંવાર હાર્ટએટેક આવ્યાં, ત્રણ વખત હાર્ટના ઓપરેશન થયાં....

આવી પરિસ્થિતિ માં બે વર્ષ પૂર્વે માર્કેટિંગની નોકરીને તિલાંજલી આપી કાંઈક પોતાનું કામ કરવું જેથી થોડીઘણી આવક આવે અને ઘર ચાલ્યાં કરે એવું વિચાર્યું, નોકરી છોડીને મારી પોતાની કારને ટેક્ષીમાં પરિવર્તિત કરી અને ઉબર તથા ઓનલાઈન વન વે કેબ તથા સર્કલથી અંગત ટ્રીપ મળશે એ આશાએ ચલાવવાનું શરૂ કર્યું...

શરૂઆતથી થોડો સમયતો સરસ ચાલ્યું, પરંતુ અચાનક તકલીફો આવી, ફરીથી એકવાર માર્કેટિંગની નોકરી શોધવી પડી અને નોકરીની સાથોસાથ સમય મળે થોડીઘણી ટેક્ષી પણ ચલાવી...

થોડુંઘણું ગાડું ચાલવાનું શરૂ થયું અને ફરીથી બીજા ચાર મહિનામાં હાર્ટએટેક આવ્યો, ત્રણ સ્ટેન્ટ મુકવા પડ્યાં, નોકરી બંધ કરવી પડી...

લાંબા આરામ પછી (દિવાળી પછી) એટલેકે નવેમ્બર'૧૯ ની શરૂઆતમાં ફરીથી ધિમે ધિમે ટેક્ષી ચાવવાની શરૂઆત કરી, કારણ હવેતો માર્કેટિંગ ફિલ્ડમાં નોકરી કરવી શક્યજ નહોતી, પરંતુ કુદરત ને મંજૂર નથી કે નસીબ માં કાંઈ તકલીફો લખી છે ખબર નહીં, માત્ર ચારજ મહિનામાં ફરીથી  તકલીફ આવી,

આવ્યું આ લોકડાઉન...

શરુંમાં લખ્યું એમ લોકડાઉનમાં તો ગમેતેમ સમય પસાર થયો પણ આ 'અનલોક' ઘણું ભારે પસાર થઇ રહ્યું છે, ઉબરમાં આખા દિવસમાં માંડ એક કે બે ટ્રીપ આવે, આવક થાય ૧૦૦ થી ૧૫૦ રુપિયા અને ફ્યુઅલ ખર્ચ થાય ૩૫૦ થી ૪૦૦ રુપિયા નો, કેમનું પોસાય...?

માર્કેટિંગમાં કામ કરવાના કારણે અનૂભવોના આધારે મારાં મોબાઈલમાં એપના માધ્યમથી દરરોજ અલગ અલગ પ્રકારની જાહેરાત બનાવી, ક્યારેક જાહેરાત સાથે શાયરી કે કવિતા લખીને શોશ્યલ મિડિયા એટલેકે ફેસબુક, વૉટ્સેપ ના માધ્યમથી બધાને મોકલતો રહું, લોકોને આકર્ષવા કાંઈક ને કાંઈક નવું નવું કરતો રહેતો, જેમકે કાર માં નાનું પુસ્તકાલય બનાવ્યું, બાળકોને માટે ચોકલેટ રાખું, કારને સ્વચ્છ અને સેનેટાઈઝ રાખું, ગ્રાહક માટે માસ્ક પણ રાખું, કાર ઉપર જો કોઈની જાહેરાત મળી જાય તો આર્થિક મદદ પણ રહે માટે લોકોની જાહેરાત ટેક્ષી થ્રુ કરવા નવું નવું કર્યું, જોકે જાહેરાત માં પણ કોઈનો સહકાર મળ્યો નહીં...

પરતુ આ તમામ વ્યર્થ નિવડી રહ્યું છે કારણ રિટર્ન ટ્રીપ મળતી નહોતી, માટે વન વે માં ગ્રાહક પાસેથી ૫૦% રિટર્ન ભાડું માંગીએ.છીએ જે કોઈને આપવું પોસાતું નથીં, બીજું ઈમરજન્સી સિવાય લગભગ કોઈ બહાર નિકળતું નથીં, બહારગામ જવાનું લોકો ટાળે છે, 

શોશ્યલ મિડિયામાં અવારનવાર મારી જાહેરાતો જોઈને સૌને લાગે કે સરસ કામકાજ ચાલે છે પરંતુ હકીકત જણાવું તો આ આખા અનલોક ૧ - ૨ - ૩ ના સમયગાળામાં મેં આઉટસ્ટેશનની માત્ર ત્રણ ટ્રીપ કરી છે, એટલેકે મહિનામાં માત્ર એક ટ્રીપ..!

વિચારો શું મળ્યું હશે મને...? શરીર અને કાર નું મેન્ટેનન્સ વધ્યું એમ કહેવાય બસ...

ઉપરથી હાલ અલગ અલગ જગ્યાએ અમૂક ટેક્ષી ચાલકો ગમે એ કારણોસર પોતાના કાયદા બનાવીને અન્ય લોકોને ડરામણા વિડીયો મોકલી રહ્યાં છે કે...

- રિટર્ન ટ્રીપ વાળું પેસેન્જર હોય તોજ ટ્રીપ લેવી...

- રિટર્ન ભાડા વગર ટ્રીપ લેવી નહીં...

- અમે ચેકીંગ કરીશું અને  પેસેન્જર ને અધવચ્ચે ઉતારી દઈશું...

- રુ.૫૦૦૦/- પેનલ્ટી લઈશું વિગેરે વિગેરે...

વિચારો કે ૫૦% રિટર્ન ભાડામાં કોઈ આવતું નહોતું તો ૧૦૦% રિટર્ન ભાડામાં કોણ એક સાઈડની મુસાફરી કરશે...? 

જોકે આ માત્ર મને અનુલક્ષીને કર્યું છે એમ કહેવું નથી મારું, આવક બધાની બંધ થઈ ગઈ છે, માનસિક અને આર્થિક હાલત બધાની ખરાબ છે, પરંતુ આમ કરવાથી શું વ્યવસાય મળવાનો શરૂ થઇ જશે...? ઓછું મળે પણ વ્યવસાય મળે એવું વિચારવું જોઈએ પણ દરેકની મનની હાલત ખરાબ છે, કરે પણ શું...?

આ બધું તો ઠીક આજે સરખા રૂ.૧૫૦૦૦ આસપાસના મહિનાના પગાર થી ડ્રાઈવર ની નોકરી સુધ્ધાં નથી મળી રહી કારણ તમામની હાલત ક્યાંક ને ક્યાંક ખરાબ છે...

આવી પરિસ્થિતિમાં માણસ મનમાં ને મનમાં મુંઝાયા કરે છે, કારણ પૈસા આવે કે ના આવે ઘર તો ચલાવવાનું જ છે, લાઈટ ના બિલો, વિમા પ્રિમિયમ, દવાઓ ના ખર્ચા અને અન્ય તમામ...

ક્યાં સુધી સહન કરશે એ..

મધ્યમવર્ગ ના વ્યક્તિને આત્મવિશ્વાસ' છે ત્યાં સુધીતો લડી લે છે , પરંતુ આમને આમ ચાલે ત્યારે અંતે તો 'આત્મહત્યા' એકજ પગલું વધતું હોય છે...

અને આત્મહત્યા કર્યા પછી બધાં લોકો 'વખોડવા' આવી જતાં હોય છે, એના જીવતાંજીવ કોઈ મદદે નથી આવતું હોતું....

અંતે એકજ પ્રાર્થના કે પ્રભુ સૌને આ મહામારી માંથી ઉગારી લે...


Rate this content
Log in

Similar gujarati story from Tragedy