વિચાર
વિચાર
પ્રગતિ કે પતનના મૂળમાં,
રહેલા હોય છે વિચાર આપણા,
ઉન્નતિ કે અવનતિના મૂળમાં,
રહેલા હોય છે વિચાર આપણા.
અન્ન થકી જ મનનું નિર્માણ થાય છે ,
આખરે મનુજ જીવનમાં,
સદાચારના રસ્તે પંથ કાપનારના,
વખણાય છે વિચાર આપણા.
સદાચાર કે સુમતિ એ જ,
ખરી સંપત્તિ છે માનવમન તણી,
કુમાર્ગે ગતિ કરતાં સદૈવ લોકોથી,
વખોડાય છે વિચાર આપણા.
વિચાર આજનો જે છે તે,
આવતીકાલનું કર્મ જ હોઈ શકે,
સાત્વિક આહાર થકીજ,
દિમાગે જળવાય છે વિચાર આપણા.
રામ કે રાવણ વ્યક્તિ કરતાં,
વૃત્તિ હજુયે શ્વસે છે સમાજમાં,
વર્તનની બુનિયાદે વ્યક્તિ કે,
વૃત્તિના મૂલવાય છે વિચાર આપણા.