સંસ્કાર
સંસ્કાર
કોઈ સાથે વૈમનસ્ય કદી ન રાખવું,
સમાજમાં રહી સૌને હળવું - મળવું,
ના કોઈની ટીકાને કરી આંખે ચડવું,
રોજે રોજ પોતાનું કામ- કાજ કરવું,
ને ઈશ પ્રાર્થનામાં રોજ ધ્યાન ધરવું,
ને સજ્જન સંગ કરી સંસ્કારી બનવું,
હોય દુર્જન મંડળ તે દેખી પાછા ફરવું,
માતા - પિતા વડીલોને રોજ નમવું,
વાણી સારી વાપરીને બીજાને ગમવું,
પાત્રતા જોઈને પછી જ બધું પીરસવું,
કુપાત્ર આગળ વસ્તુનું વાવેતર ન કરવું,
બીજાનું સુખ જોઈ કદીએ ના બળવું,
હજુએ આપજો પ્રભુ કહી હરખાવવું,
સત્ય ભલે હોય છે આમ ખરેખર કડવું,
પણ ભૂલોના કરનારાએ તેને ગળવું,
જે થાળીમાં જમ્યા તેમા કદી ન થુંકવું,
બીજાને શાંતિથી જીવવા દો, ને જીવવું,
લખી શકાય તો કોઈ વિષે સારું લખવું,
અધર્મથી દૂર રહીને ધર્મ તરફ વળવું,
સારું જીવન જીવી "ભૂદેવ"શાંત થવું.