શ્રદ્ધાના પગલે
શ્રદ્ધાના પગલે
જીવનને હું માંગું તવ આશિષ
તારે પગલે પગલે હું પગ રાખીશ
પંથ ભટકવાનો પછી ભયનો રહે
હરિ તું જે કરે કહે તે જ હું કરીશ,
ભવાટવીમાં હું કંટકો ન ચાહું કદી
તવ ગુરુપથ પગલે પગ માંડું હરિ
પુષ્પવાટિકા ન હો, અશોકવાટિકા
એટલે લક્ષ્મણરેખાને ન લાંઘુ કદી,
શ્રદ્ધાના પગલે પગલે પંથ કાપતાં
હનુમંત હૃદય દર્શન પામું જ હરિ,
જીવનવને હું માંગું એટલું હજુ હરિ
શબરી બની રાહ નિહાળું હરિ.
