સાચા હીરો
સાચા હીરો
સમજણની ખોટી બારી ખૂલશે,
તો દ્રશ્ય પણ સાવ ઊંધા દેખાશે,
જે હકીકત નથી એનો ભાસ થશે,
અને સાચું સમજણથી દૂર હશે,
સાચા હીરોની અવગણના થશે,
તોય તેમને કાંઈ ફરક નહીં પડશે,
તે કોઈ પ્રશંસા ના ભૂખ્યા નથી,
એટલા જ માટે કામ કરતાં નથી,
નિ:સ્વાર્થ ભાવે એમના થતાં કામ,
જીવથી વ્હાલું તેમને સેવાનું કામ,
જાન આપી ને જાનને બચાવતા,
એવા લોકો સાચા હીરો કહેવાતા.
