પર્યાવરણ
પર્યાવરણ
જ્યારે આજનો માનવ માંદલાની માફક છે,
ત્યારે જ આજની પ્રકૃતિ પર્યાવરણ પણ માંદલાની માફક છે.
જ્યારે આપણા પૂર્વજો વૃક્ષોને બચાવવા ચિપકો આંદોલન કર્યો,
ત્યારે આપણે વૃક્ષોને કાપવાના આંદોલન કર્યા.
જ્યારે પ્રજાએ પ્રાણીઓને ઘર વિનાના કરી દીધા,
ત્યારે જ પ્રજાએ પ્રકૃતિ અને પર્યાવરણને પણ બેઘર કરી દીધા.
જ્યારે માનવ વૃક્ષો બચાવો વૃક્ષો, બચાવોના નારા લગાવતો થયો,
ત્યારે માનવ અંદરથી વૃક્ષો કાપો, વૃક્ષો કાપોના નારા લગાવતો થયો.
જ્યારે ભાવેણાના વિક્ટોરિયામાં વૃક્ષો નિહાળ્યા દિલ ખુબ ખુશ થયું,
ત્યારે કૃષ્ણકુમારસિંહજીના જ વૃક્ષો હોય તેવું નિહાળી દિલ ખૂબ ખુશ થયું.