પ્રકૃતિ
પ્રકૃતિ
સ્વભાવ કે પ્રકૃતિ કદી નહીં બદલે,
જનમો જનમ સુધી સાથ એ ચાલે,
સંસ્કારો જીવનની સાચી પુંજી ગણાય
જીવ સાથે આવે ને જીવની સાથે જાય,
અંદરની પ્રકૃતિ કદી ન છોડે સંગ,
પોશાક જેટલાં કિંમતી પહેરો અંગ,
આચાર વિચાર જ દેખાડી દેશે રંગ,
જાહોજલાલી છતાં મન તો રહે તંગ,
દુર્જન છોડશે નહીં કદી શઠપણ,
સજ્જન પાસે પ્રેમભાવ, શાણપણ,
ભલાને તો ભગવાનનો પણ છે સાથ,
જે સંકટ સમયે પકડી રાખે હાથ.