મન
મન
મનના દર્દ તણો ઉપચાર કરી લ્યો,
નથી થયું મોડું હજુ વિચાર કરી લ્યો.
તનનાં દર્દના તો દાક્તર પણ મળશે,
મનના વિકારને હવે વહાર કરી લ્યો.
મન એવું જ તન થશે જ નક્કી છે,
સુમન બને એવો આહાર કરી લ્યો.
અન્નથકી જ મન નિર્માણ થાય છે,
ઉર્ધવગતિના રસ્તા નિર્ધાર કરી લ્યો.
મન તો ભવોભવનું સાથી આપણું,
તકરાર નહીં સાથે સ્વીકાર કરી લ્યો.
