દાંપત્ય
દાંપત્ય
1 min
408
સપ્તપદીના સાત વચન,
અને ચાર મંગળફેરા,
પતિ પત્નીનો સંગાથ,
ને સંસ્મરણો જીવનકેરા.
હસ્તમેળાપનો શુભ પ્રસંગ,
એ તો કન્યાદાનનો અવસર,
વર અને વધૂનું આત્મીય બંધન,
સાથે થાય બે પરિવારોનું મિલન.
સગા વહાલાના આશીર્વચનો સંગે,
વીતે પ્રીતભર્યું જીવન,
દામ્પત્યનું પ્રથમ સોપાન,
સાધે જીવન સાહચર્યનું અનુકૂલન.