STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

ચરિત્ર

ચરિત્ર

1 min
541

આચરણના માપદંડ થકી માપે છે ચરિત્ર

વ્યક્તિનો ભીતરી ખ્યાલ આપે છે ચરિત્ર.


બાહ્ય આડંબરથી તદન ભિન્ન બાબત છે,

આંતરિક ભવ્યતા આખરે સ્થાપે છે ચરિત્ર.


નરમાંથી નારાયણ બનાવનાર પાસું છે એ,

સત્ય સહારે માનવતા જાપ જાપે છે ચરિત્ર. 


વ્યક્તિત્વ વિકાસનું મહત્વનું પરિબળ છે

નીતિમતાની આગમાં રખે તાપે છે ચરિત્ર. 


શુદ્ધતા ચરિત્રની અમર બનાવે વ્યક્તિને,

આચરણની આંટીઘૂંટીને ઉથાપે છે ચરિત્ર. 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational