અંધારું ઘનઘોર
અંધારું ઘનઘોર
લાગતા તો લાગી જ જશે ને મનડું,
શું ખબર કોણ હશે એ ચિત્તચોર,
સ્થિર સ્થિતિને હતો એક સન્નાટો,
ખબર નહિ કયું પંખી કરી ગયું કલશોર.
મૃત્યુ સુધી સાથે જીવવાનું હતું વચન,
ને ચકોરી પાસેથી કાળીરાત હરી ગઈ ચકોર,
ઘણાં ઘૂંટાયા શબ્દો છતાં એ રહ્યા મૌન,
ને મનને અસહનીય લાગે એ મૌનનો શોર.
યાદની વર્ષાનું ઝાપટું અંતરપટે ઉમટ્યું, ને
જો હીબકે હીબકે ટહુકી રહ્યો આ મોર,
યાદોના વમળમાંથી છૂટી જ હતી 'રાહી'ને
ફરી ફરી વળ્યું ઝાકળ બની અંધારું ઘનઘોર.