કવિતા
કવિતા
તેણે પૂછ્યું, "શું છે કવિતા ?"
મને તો આવું સૂઝ્યું,
'"કવિતા એટલે ગૂંથવું,
ફૂલ, નામ કે સંવેદન
પરસ્પર સ્નેહનાં તાંતણે."
વળી, એ કંઈ એમ માને ?
કહે ;
"ગૂંથવું નહીં, ચૂંથવુ કહો, જનાબ,
'ને, સંવેદના નહીં ; વેદના
ચૂંથી ચૂંથીને બનાવો છો,
રાઇનો પર્વત."
મેં કહ્યું,
"હા કબૂલ, પણ જરા સુધારો વડીલ,
ચૂંઠવું નહીં ; વાટવું.
વાટયું ઘણું - નરસિંહ , મીરાંને રાધાએ.
ને હજી ઘણાંય વાટે છે,
પોતાની વેદનાંને ,
મોટી ખરલમાં,
'ને બનાવે છે વાટી વાટીને ઔષધ.
સંવેદનને લાગું પડેલ અસાધ્ય રોગને મટાડવા,
'ને સંવેદન સૌનું યુવાન રહે માટે,
સૌએ પીવું પડશે તેથી,
આ ઔષધ - કવિતા."