Nilesh Limbola

Inspirational

2  

Nilesh Limbola

Inspirational

વ્યક્તિવિશેષ - ૨

વ્યક્તિવિશેષ - ૨

4 mins
313


શ્યામ સાધુ જુનાગઢી ધરાનું સૂફીયાણું નામ.......

આપણું ગુજરાતી સાહિત્ય જુદાં-જુદાં કવિઓના કવિકર્મથી સમૃધ્ધ થયું છે. દરેક સર્જકની આગવી ઓળખ, આગવી લેખન શૈલી અને આગવી સર્જન પ્રક્રિયા હોય છે. આપણાં કવિઓએ દરેક વિષયોમાં પોતાની કલમ ચલાવી છે. જે વિષયો આપણાં જીવનનાં અભિન્ન અંગો છે. આપણાં સાહિત્યમાં ઋતુકાવ્યો છે, બાળકાવ્યો છે, ભજન છે અને ઘણુંબધુ જીવનની જુદી-જુદી અવસ્થાએ ઉભી થતી લાગણીઓ અને સંવેદનાઓ ને નિરૂપીત કરતાં ગીતો છે કવિતાનાં દરેક પ્રકારોમાં કવિઓએ પ્રદાન કર્યુ છે. જુદાં-જુદાં વિસ્તારોમાંથી અને જુદાં-જુદાં વિષયોમાં પ્રદાન આપી રહેલા કે આપી ગયેલાં એ ગુજરાતી ભાષાને ખોળે વ્હાલ કરનારા કવિઓમાં એ દરેક નું નામ આપી શકાય કે જેની કવિતા એમના ગયા પછી પણ આજેય અવાર-નવાર વાંચવાનું મન થાય આટલે પહોંચ્યા પછી આપણે અહિં કોની વાત કરવાનાં છીએ તે જણાવી દઉં કે, આજે જીવનની વાસ્તવીકતાઓને માનવિય વિટંબણાઓને જુદી-જુદી પરિસ્થિતઓને શબ્દોમાં ઢાળનારા એક જુનાગઢી શાયરની વાત કરવાની છે.

જુનાગઢનું નામ આવે ત્યારે ગીરનાર, તળેટી, લીલીવનરાજી, નાની-મોટી ટેકરીઓ, સંતો-મહંતો નાં આશ્રમો, ઝરણાઓ, પશુપક્ષીઓ વગેરે આપણી નજર ની સામે ઉભુ થવા લાગે ત્યારે વહેલી પહોરનાં ટાણે ગવાતા પ્રભાતિયા નો સૂર કાને પડે કે ના પડે તો નરસિંહ મહેતા યાદ આવી જાય અને શબ્દો સાથે આપણું અનુસંધાન જોડાય કે ક્રમશઃ જુનાગઢી સાહિત્યનાં શબ્દ સાધકોનાં એક પછી એક સ્મરણ થવા લાગે ત્યારે જુનાગઢી ગઝલ વારસાનાં અમર વારસદાર એવાં ‘સુફીયાણા’ ગઝલકાર સ્વ. શ્યામ સાધુ નું પુણ્ય સ્મરણ થઇ આવે. અને પછી એમની એક-એક ગઝલોની વાત કરવાનું મન થાય તેમની અર્થસભર, મર્મસભર, લાગણીસભર અને સાથોસાથ એકલતા, ઉદાસી અને સ્મરણોની આસપાસ હરતી-ફરતી ગઝલો ગુજરાતી ગઝલ સાહિત્યમાં નોખી ભાત ઉભી કરે છે એમની ગઝલોમાંથી પસાર થવાનું કામ એટલે માનવિય પરિસ્થિતીઓની જુદાં-જુદાં પ્રભાવોથી ઉભી થતી મનઃસ્થિતીઓનાં આલેખનમાંથી પસાર થવું આપણાં સ્વયંની મનઃસ્થિતીઓનું દર્શન થઇ આવે એવી કવિતા નાં સર્જક એટલે શ્યામ સાધું.

શ્યામ સાધુનું પુરૂ નામ શામળદાસ મુળદાસ સોલંકી પત્નિ- શાંતાબહેન, માતા- દેવુબાઇ અને પિતા મુળદાસ મોહનદાસ સોલંકી ( જેઓ આંબેડકર વાદી વિચારધારા થી પ્રભાવિત થયાં અને સમાજ ઉત્થાન નાં કાર્યો માટે લડત ચલાવી અને વર્ષો સુધી જુનાગઢ નગર પાલીકાના સભ્ય તરીકે પણ ફરજ બજાવી હતી) તેઓનો જન્મ ૧૫ જુના ૧૯૪૧ અને અવસાન ૧૬ ડિસેમ્બર ૨૦૦૧ નાં રોજ, અભ્યાસ એસ.એસ.સી. સુધીનો, વ્યવસાય – નોકરી, દુકાન, જુનાગઢ નગરપાલીકામાં સેવા, તેમનાં કાવ્ય સંગ્રહો – યાયાવરી, થોડાં બિજા ઇન્દ્રધનુષ અને આત્મકથાનાં પાના એમની કવિતાં નાં મુખ્ય બે સંપાદનો મળ્યા છે ‘ઘર સામે સરોવર’ સંપાદક સંજુભાઇ વાળા (૨૦૦૯) અને ‘સાંજ ઢળી ગઇ’ સંપાદક નિતીનભાઇ વડગામા (૨૦૦૨) આ એમનો પરિચય.

ફકીરીપણાંનો ભાવ સતત એમની ગઝલોમાં ડોકાય છે. જીવનની અવસ્થાઓમાં પ્રગટતા માનવિય ભાવોનું નિરૂપણ તેઓએ કર્યુ છે તેથી તેની રચનાઓમાં પોતીકો ભાવ પેદા થાય છે તેમની ગઝલો માનવિય સ્વભાવની સાથે-સાથે જીવનમાં ઉભા થતાં અભાવની વાત કરતી ગઝલો છે. તેમના શાબ્દિક પ્રયોજનમાં મોસમનાો લ્હાવ છે. અને માણસની ભીતરમાં ઘુમરાતા અને ચહેરે ન દેખાતા હાવભાવની વાત છે ગુજરાતી કવિતાનાં પ્રવાહમાંથી પસાર થવાનું થાય તો શ્યામ સાધુ નો મખમલી અવાજ ગઝલનાં રૂપમાં કયાંક ને કયાંક થી સાંભળવા મળી જ જાય. અમનો પોષાક, અમેનો નિર્દોષ સ્વભાવ, એમની વાત કરવાંની છટા અને સંબંધોમાં સદૈવ અર્પણની ભાવના વગેરે બાબતો તેમનાં વ્ય્કતિત્વને અન્ય કરતાં અલગ પાડતા તેવુ તેમનાં મિત્ર કવિ અને અધ્યાપક ડો. કૌશિકરાય પંડયા પાસેથી સાંભળેલું.

આ ગઝલકારે માણસનાં ભીતરનાં ઝંઝાવાતની વાત કરી છે. બહારની દુનિયા સાથે માણસનું જોડાણ કદાચ અંદરના ઉદભવેલા વાવાઝોડા ને કારણે તૂટતું હોય છે. અને એ વાવાઝોડુ બહારની દુનિયા એજ ભીતરની દુનિયામાં ઉભુ કરેલુ હોય છે. એમની એક ગઝલ નો મત્લા આવીજ વાત ને લઈને આવે છે આ જુઓ એ બેનમુન મત્લાઃ

“ પાંચ-સાત તારીખની વચ્ચે અટવાયો છે,

રહેવા દે, ફુલોની વાતો રઘવાયો છે. “

આ શાયર ને જો ફરીથી એકવાર એક પળ આપવામાં આવે તો આ કવિ શું કરવાની મહેચ્છા રાખે છે તેનું વર્ણન એક શેરમાં આ બુહુક છે.

“ એક પળ બસ એક પળ આપી જુઓ,

કેવું જીવન ને ચકાસી નાંખીએ. “

દરેક કવિતામાં માત્ર કલ્પનાઓ નું જ સામ્રાજય હોય છે એ જરૂરી નથી અનુભવો થી માણસ ઘડાય છે. તેમ અનુભુતિ થી કવિતા ઘડાય છે. કવિતામાં સંવેદના નું સામ્રાજય હોય છે. માણસ સંબંધો થી થાકી જાય છે પછી જિંદગી જીવવી નથી ગમતી અને પછી જીવન જીવવાનો પર્યાય જીવન વિતાવવું એવો બની જાય છે. જીવનના વિવિધ સ્મરણો, અનુભવો, દુઃખો, વેદનાઓ, વિચારો વગેરેને કવિતામાં ઉભરતાં હોય છે. આ શાયરનો એક શેર મને ખુબ ગમે છે.

“ આવ મારા રેશમી દિવસો નાં કારણ...

જિંદગી જેને કરે છે એ અહી ઠેબે ચડી છે. ”

આ નાનકડાં લેખમાં મે સ્વ. કવિશ્રીનો પરિચય આપ્યો છે એમ ની કવિતાની નાની-નાની વાતો કરી છે. અલબત મે અહિં કોઇના સંદર્ભો ઢાંકયા નથી પરંતુ શ્યામ સાધુ વિષે મે જે જાણ્યુ છે, વાંચ્યુ છે અને અહીં આલેખવાનો પ્રયત્ન માત્ર કર્યો છે કયારેક લેખન વિચારોમાંથી જન્મે છે તો કયારેક અનુભવોમાંથી કયારેક વેદનામાંથી તો કયારેક સંવેદનામાંથી, હું એમનો ચાહક છું એમનો આ મારી નાની એવી શબ્દાંજલી છે જુનાગઢી કવિતાનાં આ અલાયદા ‘ઓલીયા’ શાયર ને મારા વંદન.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational