ત્રણ ઋતુ
ત્રણ ઋતુ
હર એક અંધેરે કે પીછે સવેરા હોતા હે. સૂરજ એની રોશનીથી આપણી દુનિયા રોશન કરે છે. અને આખો દિવસ તપે છે. માત્ર ને માત્ર આપણા માટે જ. આપણને એક દિવસ સૂરજનો તાપ ના મળે તો આપણે રહી શકતા નથી, એ આપણા માટે થાકતો નથી સવારથી સાંજ સુધી સતત તપે છે સવારે ટાઈમે આવી જાય અને ટાઈમે જાય છે. સાથે સાથે આપણા ભારતની ત્રણ ઋતુ હોય છે, શિયાળો, ઉનાળો, ચોમાસુ,. .
ચોમાસામાં વરસાદ પડે છે. અને વરસાદ પડે ત્યારે વરસાદ ને પણ આવવા માટે તકલીફ પડતી હોય છે છતાં આપણને જીવનદાન આપવા આવે છે. વરસાદથી પાણી મળે છે અને પાણી વગર મનુષ્ય જીવન નકામું છે,અને સતત વરસાદની હેલી થાય અને સૂરજ ના દેખાય તો ય આપણને ગમતું નથી. આપણા માથા પર સૂરજદાદા દેખાવા જ જોઈએ. તો જ આપણને ગમે છે એટલે જેટલી જરૂર વરસાદની છે એટલી જ જરૂર સૂરજ ની છે. જે દિવસે સૂરજદાદા આપણને ના મળ્યા હોય તો આપણને એમની બહુ જ યાદ આવે છે અને જે દિવસે સતત તપ્યા હોય એ દિવસે આપણને તાપ લાગે છે. એવું જ વરસાદ નું છે કે સતત વરસાદ વરસે તો પણ આપણને ગમતું નથી પણ બહુ તાપ પછી વરસાદ આવે તો આપણે અને નાના બાળકો વરસાદ જોઈ ને ખુશ થઈ જાય છે. એટલે આપણને બંનેની જરૂર પડે છે.