પર્યાવરણનો પર્યાય
પર્યાવરણનો પર્યાય
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
પર્યાવરણની જાળવણી કરો, આપણે જીવવું હશે તો પ્રકૃતિને જીવાડવી પડશે .એવા બધા નિવેદનો આપી કંટાળેલા, મંત્રીશ્રીનો હરખ આજે માતો ન હતો. ઘણા વખતે એમનું નામ સમાચારમાં ચમક્યું હતું. આજના બધા સમાચાર કહેતાં હતાં...
ભવ્ય ઉદ્દઘાટન ! પર્યાવરણ સંરક્ષણ મંત્રીજીએ આજે ખૂબ અગત્યના એવા, નવા બંધાયેલ રેલ્વે યાર્ડનું ઉદ્દઘાટન કર્યું, આ નક્કામી જગ્યાએ પહેલાં ફક્ત ખૂબ ગાઢ જંગલ હતું.