લાખેણો પ્રેમ બહેનનો
લાખેણો પ્રેમ બહેનનો
જયશ્રી અને આરતી બન્ને બહેનો હતી. બન્નેનો એકબીજા માટે પ્રેમ અપાર હતો. જયશ્રી મોટી હતી એનાં લગ્ન અઢાર વર્ષની હતી ત્યારે થઈ ગયાં હતાં. આરતી એ ભણીગણીને પ્રેમ લગ્ન કર્યા.
જયશ્રી ને લગ્ન ને તેર વર્ષ થયા પણ કોઈ સંતાન નહોતું. બાધા આખડી અને દવા ઔષધ કરાવ્યું પણ જયશ્રી માના બની શકી. આરતીને લગ્ન પછી ત્રણ વર્ષે સારા દિવસો જતાં હતાં. આરતી એ મનોમન નક્કી કર્યું કે એને જોડીયા બાળકો આવશે તો એક મોટી બહેનને આપી દઈશ.
કુદરત ને કરવું ને આરતીએ જોડીયા બાળકોને જન્મ આપ્યો. એક દિકરો અને એક દિકરી. આરતી એ જયશ્રીની ગોદમાં દિકરો આપીને કહ્યું મોટી બહેન આ નાની બહેન તરફથી ભેટ.