જીવન
જીવન
જીવન એક સતત ચાલતી પ્રક્રિયા છે. અનાદિકાળથી અવિરતપણે ચાલુ છે. સામાન્ય માનવી પોતાનાં રોજબરોજના જીવનમાં એટલો અટવાય જાય છે કે આ ઘટમાળ તેની પૂર્ણ જિંદગી લોગે છે ! માણસ વિચારવા લાગે છે કે આ ઘટમાળ જ વાસ્તવિક જીવન અને ભૂલી જાય છે કે જીવન સૌંદર્ય તેની લાલિમામાં નિહિત છે.
આજનું યંત્રવત જીવન માનવને જીવનમાં નિખાલસ અને બાળસહજ આનંદ માણવાથી દૂર કરી દે છે. જાતને જ પૂછો ? ક્યારે નિરાંતે ઊંઘી શક્યાં ? ક્યારે નિરાંતે ઊગતો કે આથમતો સૂર્ય દીઠો ! ક્યારે બાળ સહજ હસ્યાં ! આ બધું લાગણીહીન યંત્રવત જીવનશૈલીનાં પરિણામે બન્યું છે કે આપણી અંધદોડ આ માટે જવાબદાર છે !
જીવન સહજ ચાલતી પ્રક્રિયા છે અને અનંત છે. તેમાં વિચારોની જટીલતા અને કુટીલતતા સર્વોપરી વિનાશ વેરે છે. આ સહજ ચાલતું જીવન તેની અપાર લાલિમા અને સૌંદર્ય ખોઈ બેસે છે અને જીવન એક ઘટમાળમાં કેદ બની પીડા સહન કરે છે.