જાદુઈ ધરતી
જાદુઈ ધરતી
જાદુઈ ધરતી
ઘણા સમય પહેલાની વાત છે ,તયારે નહતી વીજળી, ઇન્ટરનેટ કે યુ-ટ્યુબ. આવા યુગમાં જ્યાં સૂર્ય રોજ સાંજે સમુદ્રને ચુંબન કરે છે એ હોરાઈઝનની પેલી બાજુ, એક એવી ધરતી હતી જ્યાં દુઃખનો કોઈ વાસ નહતો. એની નદીઓ ચાંદી જેવી ઝળહળતી હતી અને જંગલો એવા રહસ્યોમાં ગુંજતા હતા જે માત્ર સપનાવાળાઓ સમજી શકે.“
છતાં પણ આ નિર્દોષ શાંતિમાં કંઈક અધૂરું હોય તેમ અહીં લોકો ને લાગતું હતું!
આ ધરતીમા રહેતા હતા હ્યુમિલાઇટ્સ—અડધા માનવી, અડધા તારાઓના પ્રકાશથી બનેલા. તેઓ એવા ચહેરા અને લાલટીઓ લઈ ફરતા, જે અગ્નિથી નહીં પણ સ્મૃતિઓથી ઝગમગતી. દરેક ચહેરાની લાલટીમાં એક નોખી વાર્તા છુપાયેલી હોય, અને જ્યારે તે ચહેરાની લાલટીઓ અંધકાર મા પ્રગટે, ત્યારે ત્યાંની ધરતીની હવા પ્રેમ, હાસ્ય અને ભૂલી ગયેલા ગીતોથી ભરાઈ જાય.
આવી અનોખી ધરતીના ચોગાનની મધ્યમાં ઊભું હતું ક્રિસ્ટલ વૃક્ષ, જેના મૂળ જમીનમાં નહીં, પણ આકાશમાં પથરાયેલા હતા. દંતકથાઓ કહે કે જે કોઈ એના મૂળના છેડાને સ્પર્શ કરે, તે પોતાનું નસીબ ફરીથી લખી શકે. પણ એ વૃક્ષ મૌનના વ્રતથી બંધાયેલું હતું એટલે કોઈ તેના મુલનો તાગ નહતા મેળવી શકતા. ક્યારેય કોઈએ એ વૃક્ષને બોલતાં સાંભળ્યું નહોતું, ભલે કેટલાયે એના મૌન વ્રતને છંછેડી, સાંભળવાનો પ્રયાસ કર્યો હોય.પણ તેનું વ્રત અટલ રહેલું હતું.
એક દિવસ, પ્રિયાન નામનો એક યાત્રિક અહીં દરિયાના મોઝાના ધક્કે આવ્યો. એને ન કોઈ શક્તિ જોઈતી હતી, ન યશ. એની પાસે માત્ર એક તૂટી ગયેલી વાંસળી અને એક ઊંડું લાગણી શીલ હૃદય હતું. જ્યારે એ ક્રિસ્ટલ વૃક્ષ નીચે બેસી વાંસળી વગાડવા લાગ્યો, ત્યારે તેના સૂર આ અનોખી ધરતી પર રેલાઈ ગયા, અને પહેલીવાર એ ક્રિસ્ટલ વૃક્ષે, તેના સૂરમાં ગીત ગાઈ પ્રતિસાદ આપ્યો. એની શાખાઓ પ્રિયાનની વાંસળી ના સુર થી લહેરાઈ, અને એક ક્રિસ્ટલ પાંદડું પ્રિયાનના હાથમાં પડ્યું.
અનોખી ધરતીના બધા હ્યુમિલાઇટ્સ ભેગા થયા. ક્રિસ્ટલને ગીત ગાતું જોઈ સૌ આશ્ચર્યચકિત થયાં . પ્રિયાનના ખોળે પડેલું એ પાંદડું ઝગમગતું રહી સંદેશ આપતું હતું:
“જાદુ એના માટે નથી જે આદેશ આપે, પણ એને માટે છે જે લોકોના દુખડા સાંભળે.”
એ દિવસથી, જાદુઈ ધરતી ઉપર કોઈ મૌન રહ્યુ નહીં. ગીતો ખીણોમાં ગુંજવા લાગ્યા,હ્યુમિલાઇટ્સના ચહેરાની લાલટીઓ વધુ તેજસ્વી થઈ, અને ચાંદી જેવી નદીઓ પણ સંગીત ગાવા લાગી. પ્રિયાનની વાંસળીના સુર એ ધરતીનો અવાજ બની ગઈ.
ક્રિસ્ટલ વૃક્ષ નો સંદેશ વહેતો થયો, કે સાચું જાદુના મંત્રોની પ્રાપ્તિમા નહીં, પણ દુનિયાની વાત શાંતિને સાંભળવાની હિંમતમાં છે.
પણ ક્રિસ્ટલ વૃક્ષના બોલવા સાથે, ત્યાંની ધરતી ઉપર એક છુપાયેલો ફેરફાર પણ થયો હતો. હવે દરેક વખતે જ્યારે હ્યુમિલાઇટ્સ પોતાની લાલટીઓ પ્રગટાવતા, તેમનો તારલોક પ્રકાશ ધીમે ધીમે ઓસરી જતો હતો. ધીરે ધીરે તેઓ બદલાવા લાગ્યા—તેમની ચમકતી ત્વચા માનવીય બની, આંખોમાં તારલોકની ઝળહળાટ ઓસરી ગઈ, અને અવાજમાંથી તારાની ગુંજ ખોવાઈ ગઈ.
હ્યુમિલાઇટ્સ સંપૂર્ણ માનવી બની ગયા.
શરૂઆતમાં, તેમણે પોતાના તારલોક સ્વરૂપના વિલય માટે શોક વ્યક્ત કર્યો. તેમને લાગ્યું કે હવે જાદુ ખોવાઈ જશે. પણ જેમ જેમ તેઓ માનવીય જીવન જીવવા લાગ્યા, તેમ તેમ એક નવી વાત શોધી કાઢી: સાચી માનવતા પોતે જ એક ઊંડું જાદુથી કમ નથી .
હવે તેઓ માત્ર લાલટીઓથી કે , સ્પર્શથી નહીં,પણ સામા માનવીની વણ કહેલી વ્યથાની ગરમી પણ અનુભવી શકતા.
તેઓ રડી શકતા, અને આંસુઓમાં ભીંજાઈ એક આરામ પણ માણી શકતા થયાં .
તેઓ પ્રેમ કરી તેની અભિવ્યક્તિ કરતા થયાં , એવી નાજુકતા સાથેનું જીવન તેઓ માટે તારલોકમાં શક્ય નહોતું .
ક્રિસ્ટલ વૃક્ષે હ્યુમિલાઇટ્સનું અમરત્વ અને તેમના લાલાટનો પ્રકાશ લઇ , તેઓને મૃત્યુશીલતા ભેટમાં આપી હતી—જેથી સૌ અપૂર્ણતાની સુંદરતા શીખી શકે.
પ્રિયાન, હજી પણ પોતાની તૂટી ગયેલી વાંસળી સાથે, તેમનો માર્ગદર્શક બન્યો. એ શીખવતો કે ગીતોને સાંભળવા માટે માત્ર કાન નહીં, મનની શાંતિ જરૂરી છે, અને આત્મ પ્રકાશ એ સમયે વધુ તેજસ્વી બને છે જ્યારે એ જીવનમાં આવતા અંધકારની ઓળખાણ રાખે .
અને આમ, હ્યુમિલાઇટ્સે પોતાની નવી માનવતા સ્વીકારી. હવે તેઓ તારલોકથી ઝગમગતા નહોતા, પણ તેમની વાર્તાઓ પહેલાં કરતાં વધુ તેજસ્વી બની ગઈ. જાદુઈ ધરતી બદલાઈ ગઈ—હવે એ શાશ્વત પરિપૂર્ણતાની જગ્યા નહોતી, પણ એવી જગ્યા હતી જ્યાં દરેક હાસ્ય, દરેક આંસુ, અને દરેક નાજુક ક્ષણ પોતે જ એક મંત્ર હતી.
✨ અંતે, સૌથી મોટું જાદુ અડધા તારલોક બનવામાં નહોતું—પણ સંપૂર્ણ માનવી બનવામાં હતું.
