અન્નદાન
અન્નદાન
પછવાડેની ઝૂંપડીમાં બેઠેલા મંજુબા હાથમાં સૂકાભટ રોટલાને અનિમેષ નજરે જોઈ રહ્યા. " બોખા મોઢે આ કેમ ખવાશે ?!" આ તો હવે એમની વૃદ્ધત્વ સાથે વ્યાજમાં આવેલી સમસ્યા બની ગઈ હતી.
આંસુવિહોણી આંખે વલોવાતા અંતરે એ ઈશને મૃત્યુ મોકલવા રોજ વિનવતા ને એક સવાલ પૂછતાં, ' ઈવા તે કીયા જનમનાં કરમ મારા વ્હાલા !, જે દીકરાનાં જનમ ટાણે મે કોથળેકોથળા અન્નદાન કરેલું ઈ આજ મુને મુઠ્ઠી ધાન પણ ધરાઈને ખાવા નથી દઈ હકતો...?!'
