આપણી સંસ્કૃતિ
આપણી સંસ્કૃતિ
આપણી સંસ્કૃતિને વિકૃતિઓની વેવલી વળગણોમા વિંધી ના નાખો!!
સંસ્કૃતિ ને ચીંથરેહાલ બનાવી દેવાનું પાપ કુદરત નહીં સાખી શકે...
આમેય દેશમાં કે વિશ્વમાં ચારેય બાજુ અશાંતિ ની આગ લબકારા લે છે ત્યારે સંસ્કૃતિ ને શણગારી ના શકીએ, પણ એના ચીરહરણના પાપમાં ભૂલેચૂકે ભાગીદાર ના બનતા!
નવરાત્રિ ના પર્વ ને જલશા કરવા માટે નહીં પણ શકિત ની સાથે ભકિતમય બનવાના દિવસો છે. પણ આજે તો એટલે સાધના માટે સર્જાયેલા દિવસોને ખાવાપીવામાં ને હલ્લા ગુલ્લા કરવામાં પૂરા કરી દેવાય છે.
આ દિવસો ખાલી જલશા કરવા માટે નથી આપણી સંસ્કૃતિની પરંપરા ને આગળ વધારવાના છે........