શહીદ
શહીદ
ભૂલી જનારા કદાચ તમને ભૂલી પણ જશે,
તમે આપેલી શહિદીને અમે યાદ રાખીશું.
ના ભૂલવું એ કે દેશ માટે જીવવું જરૂરી છે,
વતન માટે બલિદાન આપનારને યાદ કરીશું.
તમારી યશગાથા ને આવનાર પેઢી જાણતી રહેશે,
ના જાણતા હોય એને અમે યાદ કરાવીશું.
વતન પ્રેમ શું છે એ આપણે યાદ રાખવું ઘટે,
નીજ સ્વાર્થ માટે દેશનું અહિત કદી ના કરવું.
બોલવામાં જ શૂરા બનવું એ જરૂરી નથી,
દેશ હિત માટે શહીદ થતાં ને યાદ કરીશું.
