ન આવે
ન આવે
મારી યાચનામાં પ્રભુ કદી સ્વાર્થની બદબૂ ન આવે,
યાચુ તારી કરૂણા કેશવ એના સિવાય કશું ન આવે,
જગતના જરુરતમંદને કરી શકું સહાય એવું દેજે,
સ્રી માત્રના દર્શને જગદંબા સિવાય બીજું ન આવે,
રહે મન મારું રત હરિસ્મરણે નિશીવાસર પરોવેલું,
સંસારની આંટીઘૂંટીના આચાર પછી તસુ ન આવે,
ભરોસો રહે હરિવર તારો અડીખમ કપરાકાળમાંય,
હડપ કરી લઉં કોઈનું એવી વૃત્તિ મારામાં પશુ ન આવે,
કરી લઉં કર્મ તારા વિશ્વાસે પ્રમાણિક પ્રયત્નો મારા,
ગમે તેવી વરસે આપદા તારા સંગાથે મને આંસુ ન આવે.