મન મરકટ
મન મરકટ
મન મર્કટ બનીને કુદ્યા કરે,
તન તંબુર બનીને તાર છેડ્યા કરે.
મનને તું વશ કર, ના મનને વશ થા,
તારા અંતરમનને તું જાગૃત કર,
પરનિંદા થી તું અળગો રહીને,
કોઈ કાર્ય કરે તો સત્ય નિષ્ઠાથી કર.
તારા તનના સુખને ના પોષતો કદી
ના નજર બગાડીસ કદી પર નારી પર,
પરદુખભંજન બની રહેજે જગમાં,
તારી કિર્તિ ને જગમાં અમર તું કર.