STORYMIRROR

ચૈતન્ય જોષી

Drama Tragedy

4  

ચૈતન્ય જોષી

Drama Tragedy

માણસાઈ વિના

માણસાઈ વિના

1 min
386

યાંત્રિકમાનવની અણસાર માણસાઈ વિના.

ખાલી મનુષ્ય તણો આકાર માણસાઈ વિના.


હરિફાઈમાં હોય પશુ સાથે એવી દુનિયામાં, 

ધરા પર બની રહેતાં એ ભાર માણસાઈ વિના.


પેટ તો પશુપંખીને જીવજંતુ પણ ભરનારાં,

એળે જાય માનવ અવતાર માણસાઈ વિના.


શું પડે ફરક પછી જડને ચેતનમાં જગતમાં, 

થાય માનવતાની પછી હાર માણસાઈ વિના.


માણસ તો હોય સ્નેહઝરણ ઉરથી જીવનારો,

આપે છે માનવતાને પડકાર માણસાઈ વિના.


Rate this content
Log in

Similar gujarati poem from Drama