કર્મ સાર્થકતા
કર્મ સાર્થકતા
નામ જેનું ભગત હતું પણ કામ ભડવીર તણા કરી ગયો
મા ભારતીનો વિર સપૂત સ્મિત વદને માંચડે ચડી ગયો,
સર્વ સુખોનો ત્યાગ કરીને એ વીર નામ સાર્થક કરતો ગયો
માભોમ કાજે સુખદેવ પણ સ્મિત વદને માંચડે ચડી ગયો,
રાજ ભોગવવા રહ્યો નહીં છતાં પણ રાજગુરુ બની ગયો
રાજ અપાવવા રાજી થઈને સ્મિત વદને માંચડે ચડી ગયો,
ભગત, રાજ ને સુખ ત્રણે દેશ કાજે શહિદ થયા
સિંહ, ગુરુ ને દેવના કર્મો સાર્થક કરતા ગયા.