કેમ ?
કેમ ?
જો માનવ પણ એક સર્જન છે સર્જનહારનું, તો એ ખોરવે છે સંતુલન સૃષ્ટિનું કેમ ?
કોપ વરસે જ્યારે કુદરતનો કોઈ, તો પછી એ ઈશ્વરને કરગરે છે કેમ ?
સર્વોપરી છે એ નારાયણ, તો આ નર એને વારે વારે પડકારે છે કેમ ?
નિર્માણ છે જો રચયિતાનું આ, તો પછી રચનાનું મહત્વ વધારે છે કેમ ?
શ્રદ્ધાનો જ છે જો વિષય 'નિપુર્ણ', તો પછી શંકા ઉપજે છે જ કેમ ?
વાત જો સમર્પણની જ છે તો પછી, શરતોની સાથે અધકચરું કેમ ?
