ગુરુંચરણ 881
ગુરુંચરણ 881
રાજકારણનું પણ ખાસ કારણ હોવું જોઈએ,
પ્રજાના દુઃખભર્યા પ્રશ્નોનું નિવારણ હોવું જોઈએ,
જે નેતા કે પક્ષ ન કરે વચનપૂર્તિ એ નેતા કે પક્ષનું
પ્રજાજનોને હાથમાં રામબાણ મારણ હોવું જોઈએ,
ખાલી ખાદીવાદી થવાથી કે પહેરવાથી ગાંધી ન થવાય,
ગાંધી સમ રાષ્ટ્પ્રેમ ને આચરણનું વળગણ હોવું જોઈએ,
ભાષણ પણ જાણે કૂતરાં ભસતા હોય એવું ન કરો, અરે
વિરોધી પાડે તાળી એવું અટલ સમ ભાષણ હોવું જોઈએ,
ચૂંટણી ટાણે રાડો પાડી પ્રજાને ભેગા કરતાં થાય પરસેવો
ઓ મૂરખો,લાલબહાદુર હાકલ સમ કામણ હોવું જોઈએ.