ધીર ધૂરંધરા શૂર સાચા ખરા
ધીર ધૂરંધરા શૂર સાચા ખરા
ધીર ધૂરંધરા શૂર સાચા ખરા
મરણનો ભય તે તો મન નાણે
સર્વ નિખર્વ દળ એક સામાં ફરે
તરણને તુલ્ય તેને જ જાણે.
મોહનું સેન મહા વિકટ લડવા સમે
મરે પણ મોરચો નહિ જ ત્યાગે,
કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા
એ દળ દેખતાં સર્વ ભાગે.
કામકામ, ક્રોધ, લોભ, મોહનું જ્યાં લગી મૂળ ન જાય જી
સંગ પ્રસંગે પાંગરે, જોગ ભોગનો થાય જી ને ક્રોધ મદ લોભ દળમાં મુખી.
લડવા તણો નવ લાગ લાગે,
જોગિયા જંગમ તપી ત્યાગી ઘણા
મોરચે ગયે ધર્મદ્વાર માગે.
એવા એ સેનશું અડીખમ આખડે
ગુરુમુખી જોગિયા જુક્તિ જાણે,
મુક્ત આનંદ મોહ-ફોજ માર્યા પછી
અખંડ સુખ અટળ પદ રાજ માણે.
- મુક્ત આનંદ
