આ સત્ય જીવતા કોઈ કેમ માનતું નથી ?
આ સત્ય જીવતા કોઈ કેમ માનતું નથી ?
હું પણાનો મને વ્હેમ નથી,
ખાલી ખોટું અહેમ નથી,
એક સત્યની મને જાણ છે:
આ લોક, કર્મોના કરારનું લખાણ છે,
જેની અંતિમ તિથિથી દરેક અજાણ છે,
આવશે કર્મો લઈને, જશે કર્મો લઈને,
તો પણ જિંદગી આખી કરશે પરિગ્રહની માયા !
અંતે તો જશે અહીં જ મૂકીને !
આ સત્ય જીવતા કોઈ કેમ માનતું નથી ?
