વૃક્ષારોપણ
વૃક્ષારોપણ
ગોવિંદપૂર નામનું સુંદર અને ગોકુળીયું ગામ. પાદરે નદી અને નદી કાંઠે વડના ઝાડ ગામમાં મજાની શાળા. અને શાળામાં બધા કાર્યક્ર્મમો થાય અને સુંદર શિક્ષણ અપાય. તેમાં આકાશ અને તરૂ બન્ને ખુબ હોશિયાર બાળકો. પાર્થના, બાળગીતો વગેરે ગવડાવે રવિવારની રજામાં દિવસે નદી કાંઠાના વડ પર રમવા જાય .
એક દિવસ આકાશે તરુને કહ્યુ, 'તને ખ્યાલ છે આ વડ કોણે રોપેલા ?
તરૂ કહે, 'ના મને નથી ખ્યાલ.
આકાશ કહે, 'તારા દાદાજીએ આ વડ નાનપણમાં વાવેલા. તેના કારણે કેવા આપણે અહીં રમીએ.
ઘણી વાર વિચાર કરી તરૂ કહે, 'દોસ્તો આપણે પણ વૃક્ષા રોપણ કરવું જોઈએ.'
આકાશ અને તરૂ રવિવારની રજામાં મિત્રો સાથે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવા નીકળી પડ્યા. બપોર સુધી દરેક મિત્રોએ હોંશે હોંશે કામ કર્યું.
બીજા દિવસે શાળામાં શિક્ષક પૂછવા લગ્યા, 'આ વૃક્ષો કોણે વાવ્યા ?
આકાશ અને મિત્રો કહે અમે સાથે મળી આ કામ કર્યું છે. અમે પાણી આપીશું અને ધ્યાન રાખશું. પછી તો વધારે મિત્રો આ કામમાં જોડાયા. અને વર્ષો પછી આજે આ શાળા હરીયાળી અને રૂડી લાગે છે.