મૃત્યુ મંજૂર છે. પણ
મૃત્યુ મંજૂર છે. પણ
શિક્ષક વર્ગની આબોહવા બદલી નાખે તે માટે શિક્ષકે પોતાનામાં રહેલા વિદ્યાર્થીને સતત જીવતો રાખવો પડે છે. સોક્રેટિસ આવો મહાન શિક્ષક હતો. એ પોતે સત્યશોધક તરીકે જીવ્યો અને હેમલૉક નામનું ઝેર ગટગટાવી ગયો ત્યાં સુધી સત્યશોધક તરીકે જ મર્યો.
એ જો ધારે, તો મિત્રોએ નૌકાઓ તૈયાર રાખી હતી જેથી એથેન્સ છોડી જઈને મૃત્યુ ટાળી શકાય. સોક્રેટિસને મૃત્યુ મંજૂર હતું, પણ બચી જવાનું મંજૂર ન હતું. એવા બચી ગયેલા અને ભાગી છૂટેલા સોક્રેટિસને દુનિયા યાદ કરત ખરી ? આ એક શિક્ષક કહેવાય !