તું તારું યુધ્ધ જાતે લડ
તું તારું યુધ્ધ જાતે લડ
ચિંતન કરવાવાળા ચિંતા ક્યાં કરે છે ?
કર્મમાં માનવાવાળા બસ કાર્ય જ કરે છે.
જીવનભર સુખ-દુઃખના ચક્રો ચાલ્યા જ કરે છે,
પણ ગીતાજ્ઞાની તો સ્થિતપ્રજ્ઞ બની નિજાનંદમાં જ ફરે છે.
વધારે વિચારવાથી નિર્ણયો ડગમગાવાય જાય છે,
પણ તેને શું ચિંતા? જેનો સારથી શ્રીકૃષ્ણ જ બની જાય છે.
ખાલી નામ લેવાથી કૃષ્ણનું ક્યાં થવાય છે?
કૃષ્ણને પામવા તો બસ કર્મના સિધ્ધાંત પર જ ચલાય છે.
“તું બસ તારૂં કર્મ કર” આટલી નાની તો વાત છે,
આ ના સમજનારા જ તેમના જીવનમાં ઉદાસ છે.