સરદારનું ગીત-૮૯.
સરદારનું ગીત-૮૯.
મહાનુભાવાંજલિ
ગાંધીજી બોલતા રહ્યા, મળે ન સરદાર રે;
થયું છે જેટલું કામ, એ થાત નૈ’ લગાર રે.
નહેરૂ બોલતા જાય, શિલ્પી એક મહાન રે;
ઘડીને દેશનો ઘાટ, મને સોંપ્યું સુકાન રે.
રાજેન્દ્રજી કહેતા’તા, થાય રૂદન અપાર રે;
રડીએ આપણા માટે, નહિ કે સરદાર રે.
રાજગોપાલજી બોલે, બહાદુર ગણાય રે;
વિશ્વસનીયતા તેની, હંમેશાં વખણાય રે.
કનૈયાલાલની વાતે, કૃષ્ણ સમ મનાય રે;
ગાંધીયુગ જતાં તેઓ, પલટો ખાય જાય રે.
મેનન માનતા રહ્યા, લોખંડી ન જરાય રે;
અંદર ઊતરી તેની, વત્સલતા પમાય રે.
સુશીલા માનતાં થોડું, ઓછું જીવી શકેલ રે;
સુસ્થિર દેશને તેઓ, કરી લેવા મથેલ રે.
અમૃત કૌરની વાતો, અલગારી રહેલ રે;
તેમણે ઘર તેઓનું, નિજ અનુભવેલ રે.
વિનોબા માનતા રહ્યા, અહિંસક લડાય રે;
લડત બારડોલીની, કદી નહિ ભુલાય રે.
કિશોરલાલજી બોલે, દેખાવ ન કરેલ રે;
પચાવી દુનિયાદારી, નિકટ થૈ રહેલ રે.
નરહરિ કહે તેઓ, સાચા શિષ્ય બનેલ રે;
સ્વાવલંબી બની તેણે, હિંમત દાખવેલ રે.
કહ્યું મગનભાઈએ, લોકશાહી મળેલ રે;
કાર્યપ્રવીણતા તેમાં, શિસ્તબદ્ઘ રહેલ રે.
મણિબહેનજી માને, વિનોદ ન ગયેલ રે;
અપાર વેદના વચ્ચે, હસાવતા રહેલ રે.
કરિપ્પાજી કહે સાચું, કઠિન કાળ થાય રે;
બીજો ઉગારવા માટે, મેળવી ન શકાય રે.
**
ઈતિહાસે જગા તેની, ચિરકાળ ટકી રહે;
મનમાં દેશવાસીના, ભાવના એટલી વહે.
(ક્રમશ)
