પૌરાણિક પાત્ર
પૌરાણિક પાત્ર
કેટલાક પાત્રો અમર છે
જે પુરાણોમાં લખ્યા છે
અશ્વત્થામા જ્ઞાન અતિ
પણ સદુપયોગ કર્યો નહીં
આવેશમાં આવી નિર્દોષ માર્યા
કુદરતનો નિયમ તોડ્યો
શ્રાપ મળ્યો અશ્વત્થામાને
ઠેર ઠેર ભટકતો ચિરંજીવી થયો
અસુર સમ્રાટ બલિ રાજા
મહાન દાનેશ્વરી થઈ ગયા
દાન આપવામાં પાછીપાની નહીં
ભગવાન વામને અહંકાર તોડ્યો
ત્રણ ડગલાંમાં ત્રણેય લોક
બલિને પાતાળે ચાંપ્યો
પૌરાણિક કથાઓમાંથી જ્ઞાન
બોધપાઠ સૌને મળ્યો