મનને ક્યાં વિશ્રામ મળે
મનને ક્યાં વિશ્રામ મળે
મનને ક્યાં વિશ્રામ મળે !
તપવ્રત તેમજ યજ્ઞ કરે ને સંયમ સતત કરે,
તીર્થાટનને મંગલ માને, લાખ ઉપાય કભલું રે થયું રે ખૂબ જ ભલું રે થયું
જાગી ભક્તિની ગંગા એ તો ભલું રે થયું
અંતરની ગંગોત્રીથી પ્રકટી ઊઠી છે એ તો,
ત્રિભુવન મારું એથી પાવન થયું... જાગી રે... મનને
શ્રવણ, મનન ને નિદિધ્યાસનમાં રસના ઘૂંટ ભરે,
ધ્યાન ધરે ને સમાધી સાધે, દર્શન દિવ્ય કરે... મનને
પાવન કૈંક પ્રદેશોમાં એ વાસ કરે વિચરે,
તરસ મટે ના તો પણ તેની, સંતનસંગ કરે... મનને
નેતિ-ધોતિ-નૌલીમાં એનું કારજ કેમ સરે,
કરે ખેચરી ને વજ્રોલી, પ્રાણાયામ કરે... મનને
ષટ્રદર્શનમાં રમે નિરંતર તોયે પાછું ફરે,
દળદર દૂર ન થાયે એનું ઔષધ કોણ કરે ? ... મનને
‘પાગલ’ પ્રેમી બની તમારો તમને ફક્ત વરે,
શાંતિ મળે તેને રસમય રૂપ તમારું મળે... મનને
- શ્રી યોગેશ્વરજી
