મનમંદિર
મનમંદિર
સૂના મનમંદિરમાં જ્ઞાનના દીવા પ્રગટાવો,
દશે દિશામાં યશનાં અજવાળાં પ્રસરાવો !
સમયના સથવારે ચાલો; જાણો સમયનું મોલ,
કડવાં વેણ ભીતર દાટો ને મીઠા બોલો બોલ !
ધર્મના નામે ધાડ કરી ને જીવતર આખું ઠોકંઠોક,
સાથે પાપનાં પોટલાં લઈ જાવું છે સ્વર્ગ લોક !
વગર સરનામાનો આવશે કાગળ; એક દા'ડો સૌને,
માયા-મિલકત, સુખ-સાયબી; જાવું પડશે મેલીને !
સ્મરણો તમારી હાજરી પૂરશે, કામ કરશે નામ,
જો જીવન એવું જીવશો તો વતન બનશે ધામ !