કિનારે ફસાયો માનવી
કિનારે ફસાયો માનવી
નથી થતી હિંમત કે,
સત્યનો સામનો કરી શકું,
જૂઠનાં કિનારે બેસીને,
સત્યનાં મોતી કેવી રીતે પામી શકું ?
બસ અમે તો કિનારાના માનવી,
જૂઠનાં દલ દલમાં ફસાયા કરીએ,
મરજીવા બનવાની નથી થતી હિંમત,
સત્યને પામવા જિંદગી હાર્યા કરીએ.